‘તણખાં’ ક્યારે ઉત્પન્ન થાય?
જ્યારે જ્યારે ઘર્ષણ થાય ત્યારે…
ધર્મ-અધર્મ વચ્ચે,
રૂઢિઓ અને નવા વિચારો વચ્ચે,

પરંતુ મારો પ્રશ્ન આ નથી.

જો मुंडे मुंडे मतिर्भिन्नाः હોય એટલે કે દરેક માનવનાં મને સારા-ખોટાના કે રૂઢિઓ કે નવી માન્યતાઓ વિષેનાં પરિમાપો જ જુદા હોય તો પણ ‘તણખાં’ થાય ને.આ વર્તમાન ચિત્ર જોવા જેવું છે. યુગો-યુગોથી ચાલતી આ લડાઇમાં નવી વાત ઉમેરાઇ છે.’साधु’(ગીતાના પરિપ્રેક્ષ્યમાં)લોકોમાંય વિચારોની ભિન્નતાએ ‘તણખાં’ ઉત્પન્ન કર્યાં છે.આ ‘તણખાં’ બધે જ છે પણ સભ્યોનાં સમાજમાં જલ્દી દેખાતા નથી શોધવા પડે છે.પણ આમ થતાં શું ‘ભાગલા પાડો ને રાજ કરો’ નીતિનો વિજય થશે? આજે આ યુગોથી ચાલતા આવેલ ને યુગો સુધી ચાલનાર ‘धर्मक्षेत्रे कुरुक्षेत्रे’નું મહાભારત યુદ્ધમાં જ્યારે ખરા બળવીરો ને કળવીરોની જરૂર છે ત્યારે જ આ પક્ષ કદાચ સૌથી નબળો પડી રહ્યો છે…હવે માત્ર સામાજિક,પ્રાદેશિક,રાજકીય,રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વિટંબળાઓ નથી,કુદરતી કોપો પણ એટલા જ છે.કુદરતી નિયમોનું પાલન ન કરી આપણે પતનનાં આરે ઉભા છીએ છતાં અંધ તે અંધ! ચમત્કારની જરૂર છે;એકતાનાં ચમત્કારની,એ જ પાછી ખરી લોકશાહી ખરી કે નહિ?