
એ હાર હતો, એનો રંગ, આહાહા! મેં મારી ચોપડીમાં વાંચેલુ, જ્યારે આર્મસ્ટ્રોંગે પૃથ્વીને ચંદ્ર પરથી જોઇ ત્યારે એને કેવી મોતી જેવી લાગેલી, બસ એવા રંગનો..મને મમ્મીની યાદ આવી ગઇ. એ હાર એને ભેટ તરીકે આપ્યો હોય તો. મમ્મી હોસ્પીટલમાં છે, ૩ દિવસ થયા. મારે સ્કુલે નથી જવાનું એટલે મજા પડે છે પણ મમ્મી જ્યારે મને જોઇને પરાણે કણસીને હસે છે ત્યારે ખબર નહી શું થઇ જાય છે, કંઇક કરી નાખવાની ઇચ્છા થાય છે. આ હાર આપ્યો હોય તો એનું દર્દ ઓછું નહી થાય? એના ગળામાં કેવો સરસ લાગશે! બસ મેં નક્કી કરી લીધું કે હાર જોઇએ જ છીએ. સોનીકાકા મને હંમેશા દુકાનમાં આવવા દે, એટલે મેં એ હાર ક્યારે લઇ લીધો એ એમને ખબર જ ના પડી. મેં દોટ મુકી હોસ્પિટલ બાજુ. એક, બે…,દસ…,ચૌદ. હા ચૌદ પગથિયા હતાં. હું સીધો મમ્મીના રૂમમાં જ ગયો.
૧ મિનિટ પછી
રૂમ ખાલી છે. પપ્પા કેમ રડે છે ખબર નથી પડતી. મમ્મી…..મમ્મી ક્યાં છે? જેને પુછું એ મને જોઇને રડે છે! શું થયું? શું થયું? એક્દમ અંદરથી અવાજ આવ્યોઃ મમ્મી ગઇ. હું ડરી ગયો. સોનીકાકા આવે છે, ગુસ્સે લાગે છે. મારા હાથમાં હાર છે એ..એ એકદમ પડી ગયો અને મારી નજર છાપા પર પડી, મુખ્ય સમાચારઃ અમેરિકાનું ચંદ્ર મિશન સવાલોના ઘેરામાં, કદાચ કોઇ માનવે ચંદ્ર પરથી પૃથ્વીને જોઇ જ નથી!
એક કોમેન્ટના અને કોપીરાઇટ પ્રશ્નને લીધે ‘કૃષ્ણાવતાર’ નું પબ્લીશીંગ અનિયત સમય સુધી સ્થગિત કરી રહ્યા છીએ. જુની પોસ્ટ એમ ની એમ જ છે, પણ બાકીની પોસ્ટ માટે જરૂરથી ‘તણખાં’ જોતા રહેશો.
‘તણખાં’ ક્યારે ઉત્પન્ન થાય?
જ્યારે જ્યારે ઘર્ષણ થાય ત્યારે…
ધર્મ-અધર્મ વચ્ચે,
રૂઢિઓ અને નવા વિચારો વચ્ચે,
પરંતુ મારો પ્રશ્ન આ નથી.
જો मुंडे मुंडे मतिर्भिन्नाः હોય એટલે કે દરેક માનવનાં મને સારા-ખોટાના કે રૂઢિઓ કે નવી માન્યતાઓ વિષેનાં પરિમાપો જ જુદા હોય તો પણ ‘તણખાં’ થાય ને.આ વર્તમાન ચિત્ર જોવા જેવું છે. યુગો-યુગોથી ચાલતી આ લડાઇમાં નવી વાત ઉમેરાઇ છે.’साधु’(ગીતાના પરિપ્રેક્ષ્યમાં)લોકોમાંય વિચારોની ભિન્નતાએ ‘તણખાં’ ઉત્પન્ન કર્યાં છે.આ ‘તણખાં’ બધે જ છે પણ સભ્યોનાં સમાજમાં જલ્દી દેખાતા નથી શોધવા પડે છે.પણ આમ થતાં શું ‘ભાગલા પાડો ને રાજ કરો’ નીતિનો વિજય થશે? આજે આ યુગોથી ચાલતા આવેલ ને યુગો સુધી ચાલનાર ‘धर्मक्षेत्रे कुरुक्षेत्रे’નું મહાભારત યુદ્ધમાં જ્યારે ખરા બળવીરો ને કળવીરોની જરૂર છે ત્યારે જ આ પક્ષ કદાચ સૌથી નબળો પડી રહ્યો છે…હવે માત્ર સામાજિક,પ્રાદેશિક,રાજકીય,રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વિટંબળાઓ નથી,કુદરતી કોપો પણ એટલા જ છે.કુદરતી નિયમોનું પાલન ન કરી આપણે પતનનાં આરે ઉભા છીએ છતાં અંધ તે અંધ! ચમત્કારની જરૂર છે;એકતાનાં ચમત્કારની,એ જ પાછી ખરી લોકશાહી ખરી કે નહિ?
આવિર્ભાવ હતો કે પ્રાદુર્ભાવ
કે હતો કોઇ અજાણી ઊર્જાનો પ્રભાવ
ઘડેલું ઘણું મનમાં કહેવા માટે,
પણ આવ્યા ત્યારે નીકળ્યું માત્ર…કેમ છો?

સમયની સરિતા સુંદર
સાગર સમી, સ્વપ્નો સમી,
સરતી સરવાણી સતત;
સૃષ્ટિ, સૃજન, સાફલ્યથી.
સોન સત્ય સૌનું સમય,
સર્જિત સંપ, સહચારથી.
સારી સરગમ સૌ સારુ,
સોમ સૂર્ય સાક્ષી સુણતા સૌ…
-સ્વરચિત.
પરંતુ આ ‘ઊર્મિનો સાગર‘ ની કવિતા ‘સમય‘ની પ્રશંસામાં રચાયેલ છે.